ભારત-પાકિસ્તાન વચ્ચેની અટારી-વાઘા સરહદ સંપૂર્ણપણે બંધ કરાઈ

ભારત-પાકિસ્તાન વચ્ચેની અટારી-વાઘા સરહદ સંપૂર્ણપણે બંધ કરાઈ

ભારત-પાકિસ્તાન વચ્ચેની અટારી-વાઘા સરહદ સંપૂર્ણપણે બંધ કરાઈ

Blog Article

કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે ત્રાસવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચેની અટારી-વાઘા સરહદ ક્રોસિંગ પોઈન્ટ ગુરુવારે સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હતો. આતંકવાદી હુમલાને પગલે કેન્દ્ર સરકારે ટૂંકા ગાળાના વિઝા ધરાવતા તમામ પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનો આદેશ આપ્યા પછી આ બોર્ડર પોઇન્ટ્સ પર છેલ્લી ઘડી સુધી લોકોનો ભારે ધસારો થયો હતો.




અટારી-વાઘા સરહદ દ્વારા કુલ 125 પાકિસ્તાની નાગરિકો ભારતથી રવાના થયાં હતા. તેનાથી છેલ્લા સાત દિવસમાં દેશ છોડીને જતા પાકિસ્તાનીઓની કુલ સંખ્યા 911 થઈ હતી. બુધવારે પાકિસ્તાની વિઝા ધરાવતા 15 ભારતીય નાગરિકો પણ પાકિસ્તાન પહોંચ્યા હતાં, જેનાથી ભારતથી બહાર નીકળનારા ભારતીય લોકોની કુલ સંખ્યા 23 થઈ હતી.

Report this page